|| કરુણા ત્રિપદી || || Karuna Tripadi ||
Музыка
|| કરુણા ત્રિપદી ||
|| Karuna Tripadi ||
करुणात्रिपदेनैव ह्युग्रं दत्तं च सान्त्वयन्।
वाडीस्थान्मोचयामास वासुदेव नमोऽस्तु ते ॥३९॥
કરુણાત્રિપદેનૈવ હ્યુગ્રં દત્તં ચ સાન્ત્વયન્ ।
વાડીસ્થાન્મોચયામાસ વાસુદેવ નમોऽસ્તુ તે ॥૩૯॥
(પૂજારીઓના ભ્રષ્ટાચારથી) ઉગ્ર થએલા દત્તાત્રેયને કરુણાત્રિપદીથી જ શાંત કરી જેમણે વાડીસ્થોને ભયમુક્ત કર્યા, તેવા શ્રીમત્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ આપને નમસ્કાર હો.
શ્રીમત્ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો ચાતુર્માસ નરસી ગામમાં હતો. નરસોબાવાડીમાં દર શનિવારે ભગવાન દત્તાત્રેયની ઉત્સવ મૂર્તી વાદ્યધોષ સાથે પાલખીયાત્રા નીકળે. એક વખત પાલખીયાત્રા દરમિયાન ભક્તોની મેદની ઉમટી આવી અને શ્રીપ્રભુની મૂર્તિ પાલખીમાંથી ભૂમિ પર પડી ગઈ. તેથી સર્વ ભક્તજનો ભયભીત થઈ ગયા અને તૂર્ત સદ્ગુરુ સ્વામી મહારાજનાં શરણમાં આવ્યા અને ઘટિત ઘટના વિશે જાણ કરી. તત્ક્ષણ સ્વામી મહારાજે ભગવાનનું ધ્યાન ધર્યું. અને વિનયથી તેઓશ્રીએ શ્રી દત્તાત્રેય ભગવાનને પૂછ્યું કે “હે પ્રભુ ! આપ કેમ પાલખીમાંથી નીચે કૂદ્યા.” શ્રીપ્રભુ દત્તાત્રેય ક્રોધથી સંતપ્ત દૃશ્યમાન થયા. પૂ.શ્રી રંગ અવધૂત મહારાજ તે વિષેનું વર્ણન કરતાં લખે છે.
ક્રોધ થકી સંતપ્ત ત્યાં દિસે દત્ત અત્યંત
ગ્રીષ્મ ઋતુના સૂર્ય સમ ! દેખી એમ ભગવંત ,
જોડી કરદ્વય પ્રાર્થના કરે શ્રીગુરુ એહ
કરુણાત્રિપદીથી તદા , થઇ ગળગળા તેહ :-
શ્રી.ગુ.લી.અ ૧૩૨/૪૫-૪૬
અને ભગવાનના ક્રોધને શાંત કરવા સદ્ગુરુ સ્વામી મહારાજે શીઘ્ર ત્રણ પદની રચના કરી છે જે સમગ્ર દત્ત પરંપરામાં સુવિખ્યાત છે અને જેને શ્રીદત્તક્ષેત્રોનાં નિત્યક્રમમાં અગ્ર સ્થાન પ્રાપ્ત થયું છે તે કરુણાત્રિપદી.
હે ગુરુદત્ત ! તમે શાંત થાઓ, તમેજ અમારા માબાપ છો, આપ જ અમારા હિતેચ્છુ છો અને તમેજ મારા સ્વજન છો અને તારણહાર પણ તમેજ છો. અમારો કોઈ અપરાધ હોય અને આપ યથાર્થ દંડ પણ કરો તો પણ અમે આપના ગાન ગાઈશું અને આપના ચરણોમાં અનન્ય ભાવે મસ્તક નમાવીશું, અને તેમ છતાં અમારી સામે દયાની દ્રષ્ટિથી ન જોતાં આપ શિક્ષા જ કર્યા કરો તો હે દેવ ! અમારે કોના સામે જોવું ? આમ પ.પ. સ્વામી મહારાજ અનન્ય ભાવ સાથે શ્રીઅનસૂયાનંદન દત્તાત્રેય નું સ્તવન કરે છે. અંતે ત્રીજા પદમાં સ્વામીશ્રી લખે છે કે
“પ્રાર્થી વાસુદેવ પદીં ઠેવી ભાવ ,
પદીં દેવો ઠાવ દેવ અત્રિનંદન”
અર્થાત્ તમારા ચરણોમાં ભાવ અને શ્રદ્ધા રાખી વાસુદેવ પ્રાર્થના કરે છે અને આપના ચરણમાં શરણ માટે વિનંતી કરે છે. આને આમ સ્વામી મહારાજની પ્રાર્થનાથી કરુણા મૂર્તિ ભગવાન શ્રી દત્તાત્રેય શાંત થયા.
ભગવાન શ્રીગુરુ દત્તાત્રેય સ્વામી મહારાજ ને કહે છે કે અહીંના પૂજારીઓ સદ્-વર્તન ત્યજી ભ્રષ્ટાચાર કરે છે. અપવિત્ર વસ્તુઓ મને અર્પણ કરે છે, અને તેથી પણ વધુ આપની નીંદા કરે છે. માટે તેમને શિક્ષા થવી જ જોઈએ.
તત્પશ્ચાત્ સમર્થ સદ્ગુરુ સ્વામી મહારાજ પૂજારીઓને બોધ આપતા કહે છે... ભગવાન આપના ભ્રષ્ટાચારથી નારાજ છે. આપ નિયમ પ્રમાણે વર્તતા નથી અને તેનું ઉલ્લંઘન કરો છો અને તમે સ્વૈર વર્તન વર્તો છો તેથી પ્રભુ પાલખીમાંથી ભૂતલ પર પડ્યા. માટે નિજ કલ્યાણની ઈચ્છા હોય તો દુર્વ્યવહાર છોડી નિયમ પ્રમાણે વર્તવું. અને શ્રીપ્રભુ પાસે ક્ષમા માંગી કરુણાત્રિપદીથી નિત્ય પ્રાર્થના કરો.
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+
લખાણ સંદર્ભ ગ્રંથો. : શ્રીગુરુલીલામૃત (ઉપાસના કાંડ)
+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+:+
See Also :
|| દેવેન્દ્રાણિ મંત્ર || || Devendrani Mantra ||
• || દેવેન્દ્રાણિ મંત્ર ...
||ખોવાયેલી કે નષ્ટ પામેલી વસ્તુ પુનઃપ્રાપ્તિ માટેનો મંત્ર||
||Mantra for recovery of lost thing||
• ||ખોવાયેલી કે નષ્ટ પામ...
|| સમંત્રકં ગણપતિ સ્તોત્રમ્ ||
|| Samantrak Shri Ganapati Stotram ||
• || સમંત્રકં ગણપતિ સ્ત...
|| શ્રી દત્તાત્રેયાપરાધક્ષમાપનસ્તોત્રમ્ ||
|| Shree DattaParadhaKshamapanStotram ||
• || શ્રી દત્તાત્રેયાપરા...
|| જયલાભયશ: સ્તોત્રમ્ ||
|| Jay Labh Yashah Prapti Stotram ||
• || જયલાભયશ: સ્તોત્રમ્ ...
|| અનસૂયા સ્તોત્રમ્ ||
|| Anasuya Stotram ||
• || અનસૂયા સ્તોત્રમ્ ||...
|| ગુરુ અનુગ્રહ ||
|| Guru Anugrah ||
• || ગુરુ અનુગ્રહ || ...
|| અઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રમ્ ||
|| Aghorkasht Stotram ||
• || અઘોરકષ્ટોદ્ધરણ સ્તો...
|| શાંતિસ્તોત્રમ્ ||
|| શ્રીદત્તસ્તવસ્તોત્રમ્ ||
• || શાંતિસ્તોત્રમ્ || |...
|| ચિત્તસ્થૈર્યકરસ્તોત્રમ્ / શ્રીદત્તસ્તોત્રમ્ : ||
|| ChittaSthairyakaraStotram / ShriDattaStotram ||
• || ચિત્તસ્થૈર્યકરસ્તોત...
।। સરસ્વતી મંત્ર ||
।। Saraswati Mantra : ||
• || સરસ્વતી મંત્ર || ||...
Om Prem
Linch
અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત્ત
#vasudevanandsarasvati, #ShreeDattSahitya, #VasudevanandSahitya, #ShreeSwamiMaharajSahitya, #OmPrem, #Linch, #Nareshvar, #Nareshwar, #Mantra, #DattStotra, #ShreeDattSahitya, #KarunaTripadi,
Пікірлер: 43
અવધૂત ચિંતન શ્રી ગુરૂદેવ દત્ત
JayGurudevDatt
ShreeGurudevDatt
Gurudevdatt
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
Gurudev dutt
@ShreeRangSahitya
8 ай бұрын
Gurudevdatt
श्री गुरुदेव दत्त
🙏🙏🙏🙏🙏🙏
@MilanModi-ex9dp
6 ай бұрын
🙏🙏🙏🌺🌺🌺
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
AVDHUT CHINTAN SRI GURUDEV DUTTA.🎉❤🎉❤🎉
Gurudev Dutt 🙏
🙏🏻🌹🙏🏻
@ShreeRangSahitya
6 ай бұрын
GuruDevDatt
Shri Gurudev Datt
@ShreeRangSahitya
Жыл бұрын
GuruDevDatt...
🙏 ૐ પ્રેમ 🙏
@ShreeRangSahitya
11 ай бұрын
Gurudevdatt...
Àvdhut chintan shriGurudevdatt 🙏🙏
@ShreeRangSahitya
8 ай бұрын
GuruDevDatt...
@dipaktailor4373
4 ай бұрын
😮@@ShreeRangSahitya
જય ગુરુદેવ દત્ત
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt...
Pamampujya Shree Vasudevanand Sarswati Swami Maharaj ki Jay Jay Shree Gurudev 🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
Gurudevdatt 🌹🙏
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
Gurudev Datt
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt
નમો ગુરુવે વાસુદેવાય ગુરુદેવ દત્ત ❤🙏🙏🙏🙏
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
Avdhut chintan Shree gurudav datt🙏🙏🙏
@ShreeRangSahitya
8 ай бұрын
GuruDevDatt...
@devyanibhatt3433
6 ай бұрын
😊
Shree gurudevdutt 🌺🌺
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
🙏🙏🙏🌺🌺🌺🌺
@ShreeRangSahitya
Жыл бұрын
Gurudevdatt....
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત્ત.....🙏🙏🙏
@ShreeRangSahitya
2 жыл бұрын
Gurudevdatt....
@RameshPatel-kv2ul
8 ай бұрын
Gurudev datt
@sarladesai1732
2 ай бұрын
¹@@RameshPatel-kv2ul